Category: અમરેલી
-
અમરેલી જિલ્લાના વતની ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધલા ગામના વતની સવજીભાઈ ધોળકિયાને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે ઉપસ્થિત રહી સવજીભાઈને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી…
-
લાઠીના નારણ સરોવરમાં 5 બાળકો નાહવા જતા તમામના મોત, પરિવારજનોમાં માતમ છવાયો
અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. આ પાંચ કિશોરમાંથી 3 કિશોર પરિવારના એકના…
-
અમરેલી જિલ્લામાં લગભગ સાડા છ કરોડના ખર્ચે જળસંચના કામ કરવામાં આવશે
અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સુજલામ સુફલામ જલ અભિયાન 2022 અંતર્ગત થયેલા કામોની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં અંદાજીત રૂ.6.64 કરોડના ખર્ચે થનાર 752 જળસંચયના કામોની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે સંબંધિત અધિકારીઓને આ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, પોર્ટલ પર આ…
-
શિયાળ બેટ: દરિયાની વચ્ચે પાણીની સમસ્યા, ગામલોકો ડંકીનું પાણી પીવા મજબૂર
વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં શિયાળ બેટને પાણી પહોંચાડતી પાણીની પાઈપલાઈનને નુકસાન થયું છે. પાઈપલાઈનમાંથી પાણી બંધ થતાં ફરી એકવાર શિયાળ બેટના લોકોને ડંકીનું પાણી પીવું પડે છે. ત્યારે દસ માસ બાદ પણ તંત્ર ટેન્ડર પ્રક્રિયાની વાત કરી રહ્યું છે. સરપંચ અને શિયાળ બેટના લોકોએ વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. લોકો ડંકીનું ખારું…
-
ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જુએ છે અમે લોકશાહી બચાવવા ભાજપને વિપક્ષમાં રાખવી છે – પરેશ ધાનાણી
અમરેલી તાલુકાના ભંડારિયા ગામમાં થોડા દિવસ પહેલાં કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષના પૂર્વ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો તથા તેમણે કહ્યું હતું કે અમારે બધી બેઠકો નથી જીતવી પણ લોકશાહી બચાવવા માટે ભાજપને વિપક્ષમાં રાખવી છે.…
-
અમરેલીના 4 છાત્રો 17 કિમી ચાલીને પાેલેન્ડ બાેર્ડર પહાેંચ્યા પણ પાછું યુક્રેન પરત ફરવુ પડ્યું
યુક્રેન રશીયાના યુધ્ધ વચ્ચે યુક્રેનમા ફસાયેલા અમરેલીના ચાર છાત્રાે ભારત પરત આવવા સંઘર્ષ કરી રહ્યાં છે. આ છાત્રાે અન્ય 40 છાત્રાે સાથે બે બસમા પાેલેન્ડ બાેર્ડર પર જવા નીકળ્યાં હતા. જાે કે આ છાત્રાેને માઇનસ 10 ડિગ્રીમા 17 કિમી પગપાળા ચાલવુ પડયુ હતુ અને 12 કલાક લાઇનમા ઉભા રહેવા છતા પાેલેન્ડ બાેર્ડર પરથી યુક્રેન પરત…
-
અમરેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના છાત્ર સાથે રેગિંગ, બે વિદ્યાર્થીને શાળામાંથી છુટા કરી દેવાયા
અમરેલી તાલુકાના જવાહર નવાેદય વિદ્યાલયના ધાેરણ 9ના છાત્ર પર રેગિંગ અને મારપીટની ગંભીર ઘટના થોડા દિવસ પહેલા બની હતી. આ નવાેદય વિદ્યાલયમા 700 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. વડીયા તાલુકાના સનાળી ગામનાે છાત્ર પણ અહી અભ્યાસ કરે છે. ધાેરણ 11મા અભ્યાસ કરતા કેટલાક છાત્રાે એ થાેડા દિવસ પહેલા કોઈક મુદે બાેલાચાલી કરી હતી અને…
-
ઢસા જેતલસર વચ્ચે ટ્રાયલ ટ્રેન ચલાવવામાં આવી
ઢસાથી જેતલસર સુધીની બ્રાેડગેજ લાઇનનુ કામ પુર્ણ થઇ ગયુ છે. ત્યારે આજે આ ટ્રેક પર ટ્રાયલ રન કરવામા આવ્યાે હતાે.એક એન્જીન અને એક ડબ્બા સાથેની ટ્રેનને લઈને ટ્રાયલ કરવામાં આવી હતી. કુંકાવાવ, લાઠી, ચિતલને અમદાવાદ સાથે જાેડતી ટ્રેન ફરી શરૂ થાય તેવી લોકો રાહ જાેઇ રહ્યાં છે. ઢસા જેતલસર વચ્ચે બ્રાેડગેજ લાઇન બનાવવામાં ઘણો લાંબાે…
-
જેતલસરથી ઢસા વચ્ચે 1 એપ્રિલથી ફરી ટ્રેન દોડશે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ ચાલુ વર્ષે પુર્ણ થશે – સાંસદ નારણભાઇ કાછડીયા
અમરેલીમા ગઇકાલે જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયાએ કેન્દ્ર સરકારના ચાલુ વર્ષના બજેટ અંગે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેમણે જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લાની જનતા જે જેતલસર ઢસા બ્રાેડગેજ લાઇન શરૂ થવાની રાહ જાેઇ રહી છે તે હવે પૂર્ણ થશે. જેતલસર ઢસા વચ્ચે બ્રાેડગેજ લાઇનનુ કામ મુખ્યત્વે પુર્ણ થઇ ગયુ છે અને આગામી 1 એપ્રિલથી નવા…
-
અમરેલી જિલ્લાના જુદા-જુદા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ચાલુ
અમરેલી જિલ્લામાં કપાસનો ભાવ ખૂબ સારો મળી રહ્યો છે, જીલ્લામાં કપાસનો ભાવ 2151 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. માર્કેટમાં કપાસના ભાવ સારો મળતા ખેડૂતો પણ ખુશ છે. અમરેલી, બાબરા, સાવરકુંડલા અને રાજુલા યાર્ડમાં એક જ દિવસમાં 48 હજાર મણ કપાસની આવક થઈ હતી. બાબરાના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે 25 હજાર મણ કપાસની આવક થઈ…