લાઠીના નારણ સરોવરમાં 5 બાળકો નાહવા જતા તમામના મોત, પરિવારજનોમાં માતમ છવાયો

અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. આ પાંચ કિશોરમાંથી 3 કિશોર પરિવારના એકના એક પુત્ર હતા.

પાંચેય કિશોરોના મોતને પગલે લાઠી શહેરમાં 5 વાગ્યા બાદ સજ્જડ બંધ થયું હતું. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાળકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

મૃતકોના નામ

વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16

નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16

રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16

મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17

હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18

મજૂરી કામ કરી રહેલા પરિવારના એકના એક દિકરાના મોત થયા છે. રાહુલ પ્રવિણભાઇ જાદવ, મીત ભાવેશભાઈ ગળથિયા અને નમન અજયભાઈ ડાભી આ ત્રણેય પરિવારના એકના એક દિકરા હતા. જેઓના ડુબી જવાથી મોત થયા છે.

લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા. જેથી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. તરવૈયાઓ શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારણ સરોવર પહોંચી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરી રહ્યા છે. ન્હાવા પડેલા તમામ કિશોર વયના હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.