Category: જાફરાબાદ
-
અમરેલી : ડાયાબીટીસની બિમારી મટાડવાના બહાને ખેડૂત પાસેથી તાંત્રિક સહિત બે લોકોએ રૂા.3.30 લાખ પડાવ્યા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકીને ત્રણ લોકોએ ડાયાબીટીસની દવા બનાવી આપવા અને વિધી કરી આપવાના બહાને રૂપિયા 3.30 લાખની છેતરપીંડી કરતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકી નામના ખેડૂત સાથે બની હતી. ગભરૂભાઇને સંતાનમા 19 વર્ષનો ભાવેશ નામનો પુત્ર છે જે ડાયાબીટીસની…
-
જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં ઘરમાં રાખેલ મચ્છી પકડવાની જાળની ચાેરી
જાફરાબાદ મરીન પોલિસમાં દસ લોકો સામે માછીમારીની જાળ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળેલ વિગત પ્રમાણે જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રહેતા નયનાબેન વિક્રમભાઇ બારૈયા નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે વર્ષ 2017માં સાતમ આઠમના તહેવાર બાદ તે તેના પરિવારના સભ્યો સાથે ભરૂચમાં મજૂરી કામ માટે જતાં રહ્યા હતા. પછી જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે…
-
જાફરાબાદનું 42 કરોડનું અને રાજુલાનું 73 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં મંજુર
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણીયા, કરશનભાઈ ભીલ, દેવજીભાઈ, ટીડીએ વિજયભાઈ સેંગારા, કરાઈબારી પ્રમુખ ભીમભાઈ વરૂ, અનિરુદ્ધભાઈ વાળા, દયાબેન વગેરેની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્ષ 2022-23 માટે 42 કરોડ રૂપિયાના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. શિક્ષણ, પીવાના પાણી, રસ્તા, આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકીને બજેટ…
-
જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશનના બે પોલિસકર્મી 5000ની લાંચ લેતા ઝડપાયા
જાફરાબાદ તાલુકાના નાગશ્રી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસકર્મીએ રૂ.5000ની લાંચ માંગી હતી. ફરિયાદીની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા બે પોલીસકર્મીઓને પકડી પાડ્યા હતા. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી અમરેલી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું…
-
નાગેશ્રી નજીક કારમાંથી 99 બોટલ દારૂ ઝડપાયો
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક આવેલ બાલાની વાવ વિસ્તારના પાટીયા પાસેથી અમરેલી જિલ્લા એસઓજી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન એક કારને અટકાવી તલાશી લેતા કારમાથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની 99 બોટલ મળી આવી હતી. એસઓજી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન એક કારને અટકાવી તલાશી લેતા કારમાથી જુદીજુદી બ્રાંડની વિદેશી…
-
જાફરબદના નાગેશ્રીમાં ક્રિકેટ મેચ રમતી વખતે શિક્ષકને હાર્ટએટેક આવતા મોત
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયામાં રહેતા અને નાગશ્રી હાઈસ્કૂલમાં ફરજ પરના શિક્ષકને ક્રિકેટ મેચ રમતા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેનું મુત્યુ થતાં શાળા પરિવાર અને ગ્રામજનોમા શાેકની લાગણી જોવા મળી હતી. આ ઘટના જાફરાબાદના નાગશ્રી ખાતે બની હતી. ખાલસા કંથારીયામાં રહેતા સુમિતકુમાર દેવચંદભાઈ ખાખર (ઉં.વ.32) નામનો યુવક નાગાશ્રીમા એસ.કે.વરૂ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે…
-
તાઉતે વાવાઝોડાની સહાયના મુદ્દે વિધાનસભા ગૃહમાં અંબરીશ ડેરે સરકારશ્રી ને રજુઆત કરી
રાજુલા, જાફરાબાદ, ખાંભા 98 વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે બુધવારે ફરીથી વિધાનસભા ભવનમાં તોફાન સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વિધાનસભાને કહ્યું કે 13,000 પરિવારોને આંધી-તોફાનમાં ન્યાય મળ્યો નથી. તોફાન દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ મારા વિસ્તારમાં આવ્યા હતા. પરંતુ રજૂઆત કરવા માટે સમય નહોતો આપ્યો. તેમણે કહ્યું કે લોકો માટે કામ કરતી વખતે રાજકારણ…
-
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મુત્યુ
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર બોલેરો કાર અને બુલેટ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ ચાલકનું ઘટનાસ્થળ ઉપર જ મુત્યુ થયું હતું. અહીં બોલેરો કાર રાજુલા થી નાગેશ્રી તરફ જતી વખતે બોલેરો કાર ચાલક દ્વારા બાલાનીવાવ ગામ તરફ વાળવા જતા પાછળથી આવી રહેલ બુલેટ બાઇક કાર સાથે અથડાતાં 1…
-
જાફરાબાદમાં રહેણાક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, દ્રસ્યો CCTV કેમેરામાં કેદ
અમરેલી જિલ્લામાં સિંહ અનેકવાર રહેણાક વિસ્તારમાં આવતા હોય છે પણ હવે દીપડાઓ પણ રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે. અને અમરેલી જિલ્લામાં દીપડાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધારો થઈ રહીયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં બુધવારે એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો જેના દ્રસ્યો સીસીટીવી માં કેદ થઈ ગયા હતા . વિડિયો જે સામે…
-
જાફરાબાદ શહેરમાં તાલુકા પે. શાળા પાસે વૃક્ષ ધરાશાયી, બે દુકાનને નુકસાન
અમરેલીના જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલી તાલુકા પે. શાળા પાસે આજે વહેલી સવારે એક મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું, વૃક્ષ PGVCL ના વીજતાર પર પડતાં બે વીજપોલ ધરાશાયી થયા હતા. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર નહિવત હોવાથી જાનહાનિ ટળી હતી. શહેરની તાલુકા પે સેન્ટર સ્કૂલમાં આવેલું આ પીપળાનું વૃક્ષ વર્ષો જુનું હતું.આ વૃક્ષ…