રાજુલા થી ઉના વચ્ચેના નેશનલ હાઇવે ઉપર મોટા કૂવા, વાહન ચાલકોમાં ગુસ્સો

અમરેલી જિલ્લાના રાજુલા થી પસાર થાય છે ફોરલેન નેસનલ હાઇવે જે ભાવનગર થી સોમનાથ છેલ્લા 7 વર્ષ થી વધુ સમયથી કામ ચાલી રહ્યું છે છતાં પણ આ હાઇવેનું કામ હજી પૂર્ણ ન થતાં લોકો પરેસન થાય છે. એવું જાણવા માળિયું છે કે રોડનું કામ જે એજન્સીને સોંપેલું તેને પણ બદલી નાખી છે છતાં પણ હજું સુધી હાઈવેનું કામ પૂર્ણ થયું નથી. આ નેશનલ હાઇવે પર અનેક મોટા ખાડાઓ પડી ગયા છે અને ધૂળની ડમરીઓ ઉડી અને પ્રવાસીઓની આંખો માં નુકસાન કરી રહી છે તેનાં કારણે અહિયાં થી પસાર થતા વાહનચાલકોને ભારે મુસકેલી થઇ રહી છે અને અવાર-નવાર અકસ્માત પણ આ ખાડાઓના લીધે વધી રહ્યા છે.

રાજુલા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઈ હડિયા લખે છે કે ભાવનગર નેશનલ હાઇવે ઓથોરિટીનાં અધિકારીને પત્ર લખીને ચિમકી ઉચ્ચારી હતી કે આગામી 7 દિવસોમાં જાફરાબાદ તાલુકાના ચાર નાળા થી રાજુલા તાલુકાના દાતરડી ગામ સુધીનાં નેશનલ હાઇવેની રિપેરિંગની કામગીરી જડપથી ચાલુ કરવામાં નહીં આવે તો રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની હાજરીમાં કોંગ્રેસનાંકાર્યકરો દ્વારા નેશનલ હાઇવે પર રસ્તા રોકોને આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારી હતી ત્યારે આગામી દિવસોમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે રિપેરિંગનું કામ ચાલુ કરવામાં આવે છે કે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ફરજ પડે તે તો આવતા સમયે જ ખબર પડશે. વધુ માહિતી માટે અમારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વેબસાઈ સાથે જોડાયેલા રહો.

(picture: Sanj Samachar)

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.