સાવરકુંડલા: આદસંગ ચોકડી પાસે દુર્લભ ઇજાગ્રસ્ત ઘુવડને સારવાર આપવામાં આવી

સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી નજીક આદસંગની સીમ વિસ્તારમાં કમલેશભાઈ શિવરામભાઈની વાડી પાસે એક રેવીદેવી પ્રજાતિનું ઘુવડ જોવા મળ્યું હતું આ પક્ષીને પાંખમાં ઈજા થયેલ જેથી ઉડી ન શકવાથી વાડીની સીમાએ બેઠું હતું.

વન-પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતિષભાઈ પાંડેને ગ્રામ જાનોએ જાણ કરતાં સતીષભાઇ તેમજ સાેહિલભાઇ, પીયાકભાઇ, જુબેરભાઇ વિગેરે તાત્કાલિક સ્થળે પહોંચી અને ઘુવડને સારવાર આપી હતી. વન વિભાગને જાણ કરી સાવરકુંડલા પશુ દવાખાને વેટરનરી ડોક્ટર પાસે સારવાર કરાવી નોર્મલ રેન્જ સાવરકુંડલા ખાતે પહોંચતું કરી દીધું હતું. આ ઘુવડને પાંખમા ગંભીર ઇજા પહાેંચી હાેવાનુ જાેવા મળ્યું હતુ. ઘુવડને સાવરકુંડલા પશુ દવાખાને લઇ જવાયુ હતુ અને સારવાર અપાવી હતી.

બાદમા અહીની વનવિભાગની નાેર્મલ રેંજ કચેરીને સાેંપી દેવાયુ હતુ. રેવીદેવી ઘુવડનાે મુખ્ય ખાેરાક ઉંદર હાેય છે તેમજ ખેતરમા અનાજ અને પાકને નુકશાન કરતા ઉંદરાેની સંખ્યા નિયંત્રણ રાખતુ હાેય જેથી આ પક્ષી ઘુવડને ખેડૂતનુ મિત્ર તરીકે પણ ગણવામા આવે છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.