સાવરકુંડલા – ઉના S.T. બસને વાયા ઉટવાળા ચલાવવા માંગ, પરંતુ રસ્તો બિસ્માર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી ઉના ચાલતી એસટી બસ વર્ષોથી વાયા ઉંટવાળા ગામેથી ચલાવવામાં આવતી હતી. પરંતુ જેતે વખતે રસ્તો બિસ્માર હોવાના અભાવે આ રૂટમાં ફેરફાર કરવામાં આવેલ હતો.

સાવરકુંડલા – ઉના S.T. બસને વાયા ઉટવાળા ચલાવવા માંગ

હાલ આ રૂટ પાકા રસ્તા બની ગયેલ હોય સાવરકુંડલા-ઉના રૂટ પર ચાલતી એસટી બસને ખાંભા, ખડાધાર, ચક્રાવા, બોરાળા, કંટાળા, ધુંધવાણા, સાળવા, રબારીકાર, લુવારી મોલી થી વાયા ઉંટવાળા ગામે થઇને ગાંગડા થી ઉના જતી હોય તે મુજબ ઉનાથી રીર્ટન આ રૂટ ઉપર ચલાવવા આ વિસ્તાના ગામના લોકોની માંગણી ઉઠી રહી છે.

વિદ્યાર્થીને થાય છે નુકસાન

આ તમામ ગામડા માંથી 60 થી 70 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સનખડા, સામતેર, વ્યાજપુર, ઉના અભ્યાસ અર્થે જતા હોય છે. તેવી જ રીતે આ રૂટની બસ પરત ખાંભા જતી વખતે પણ આ રૂટ પરના ગામો માંથી 60 થી 70 છાત્રોને રબારીકા, ખાંભા રોજ અભ્યાસ અર્થે જાય છે. આ રૂટ ઉપર એસટીબસની સુવિધા મળતી ન હોવાથી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.

આ રૂટ ઉપર એસટી બસ ચલાવવામાં આવે તો આ વિસ્તારના ખેડૂત ખેતી પાક વેચવા ખાંભા, સાવરકુંડલા, અમરેલી સહીત માર્કેટીંગ યાર્ડમાં જતા હોય છે. પાકનો મોલ વેચી પૈસાનું જોખમ સાથે લઇ આવવુ મુશ્કેલ છે. એસ.ટી.બસની સુવિધા હોય તો ખેડૂતો સલામત રીતે પોતાના ઘરે પહોચી શકે જેથી તાત્કાલીક આ રૂટ પર બસ શરૂ કરવા તમામ ગામના લોકો દ્વારા અને ઉંટવાળા ગામના પૂર્વ સરપંચ મૂળુભાઇ એચ સાંખટે ડી.સી અમરેલી એસટી વિભાગને રજુઆત કરી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.