રાજુલા થી બાઢડા સુધીના 32 કિમીના માર્ગનું 9.32 કરોડના ખર્ચે નવિનીકરણ

રાજયકક્ષાના મંત્રી આર.સી. મકવાણાએ રાજુલા તાલુકાના આગરીયા ખાતે 9.32 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર 32 કિલોમીટરના રાજુલા થી બાઢડા સુધીના રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડના નવીનીકરણના કારણે આગામી દિવસોમાં વાહન ચાલકોને અત્યારે જે હાલાકી થાય છે તેમાથી છુટકારો થશે.

સાથે તેમણે રાજુલાના કાતરમાં 98.68 લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મોની નલ સે જલ યોજનાની કામગીરીનો પણ પ્રારંભ કરાવ્યો. કાતર ગામમાં આગામી છ મહિનામાં દરેક ઘરે નળ કનેકશન અપાશે. તથા ગામમાં જળ વિતરણ માટે 10 હજાર મીટર પીવીસી પાઈપલાઈન તથા કુલ 580 કનેકશન માટે 6960 મીટર પાઈપ લાઈનને મંજુરી આપવામાં આવી છે. તથા ગામમાં 25HP ના પંપ દ્વારા 1.50 લાખ લીટરની 12 મીટર ઉંચી ટાંકીમાં પાણી પહોંચાડવામાં આવશે અને પછી આ ટાંકી માથી ગામમાં ઘરે ઘરે પાણીનું વિતરણ કરાશે.

આ ખાતમુહૂર્તમાં સ્થાનિક અગ્રણી દાદભાઈ વરુ, એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાસ્મો યોજનાના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.