રાજુલા: 30 વિઘા જમીન પર નેપિયર ઘાસ અને હાથીઘાસની મદદથી CNG બાયોગેસનું ઉત્પાદન કરાશે

અમરેલી જિલ્લાના રાજુલામાં 30 વીઘા જમીન પર CNG બાયોગેસ અને ઓર્ગેનિક ફર્ટીલાઈઝર યુનિટ દ્વારા ઉત્પાદન કરશે. અહી ગેસ બનવા માટે નેપિયર ઘાસ અને હાથીઘાસની મદદથી ગેસનું ઉત્પાદન કરાશે. જેમાં આજુબાજુના ખેડૂતોને જોડવામાં આવશે.

30 વિઘા જમીન પર નેપિયર ઘાસ અને હાથીઘાસની મદદથી CNG બાયોગેસનું ઉત્પાદન

રાજુલામાં પટેલવાડી ખાતે મુંબઈની MCL કંપની સાથે કોલોબ્રેશન કરી CNG ગેસ ઉત્પાદન માટેનો સેમિનાર યોજાયો હતો. જેમાં ખેડૂતો દ્વારા નેપિયરઘાસ અને હાથીઘાસનું વાવેતર કરવામાં આવશે. આ ઘાસની મદદથી CNG ગેસનું ઉત્પાદન કરી શકશે. ખેડૂતોની આવક માં વધારો થાય અને ઓર્ગેનિક ખાદ્ય પેદાશો ઉત્પન થાય તે હેતુથી અમરેલીના રાજુલામાં 30 વીઘામાં જમીન પર CNG પ્લાનનું આયોજન કરવામાં આવશે.

ખેડૂતો બનાવશે CNG બાયોગેસ

રાજુલા તાલુકાના અંદાજિત 1500 જેટલા ખેડૂતોનું સંગઠન કરાશે. અને નિપિયર એટલે કે હાથીઘાસ ને રો મટીરીયલ તરીકે ઉપયોગી લેવામાં આવશે અને તેનું ગેસનું ઉત્પાદન કરાશે. રાજુલામાં યોજાયેલા સેમિનારમાં પ્રફુલભાઈ સેંજલીયા, છગનભાઇ ધડુક, ધીરૂભાઈ ધાખડા, વિપુલભાઈ લહેરી, ભરતભાઈ પાંચાણી અને નરેન્દ્રભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદુભાઈ રૈયાણી અને પ્રવીણભાઈ સુખડીયાએ જહેમત ઉઠાવી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.