નાગરિક બેંકની ચિતલ શાખામાં ગ્રાહકે ભૂલેલા દોઢ લાખના દાગીના પરત કરાયા

અમરેલી નાગરિક સહકારી બેંકની ચિતલ શાખામાં એક લોકરધારક 1.50 લાખની કિંમતના દાગીના બહાર ભુલી ગયા હતા. જેના કારણે બેંકે આ લોકધારકની શોધખોળ કરી અને તપાસ કરી ભુલી ગયેલા લોકરધારકને પોતાના દાગીના પરત કર્યા હતા.

નાગરિક સહકારી બેંકની ચિતલ બ્રાંચમાં વિનોદરાય લાલજીભાઈ શેલડીયા પોતાનું લોકર ધરાવે છે. જે લોકર તેણે 7 જુલાઈના રોજ ખુલ્યું હતું. ત્યારે તે પોતાના લોકરમાંથી કાઢેલા 1.50 લાખના દાગીના લોકરમાં મુકવાનું ભુલી ગયા હતા. અને આ સોનાના દાગીના બેંક કર્મચારીને મળ્યા હતા. તેમણે તે દિવસે જેટલા લોકર ધારકોએ લોકર ઓપરેટ કરેલ તેઓને ફોન કરી પોતાનું લોકર ચેક કરી જવા જાણ કરી હતી. જે બાદ વિનોદરાય શેલડીયાએ પોતાનું લોકર ચેક કરતા તેમણે પોતાના ઘરેલા ઓછા હોવાનું જણાવ્યું હતું.

બેંક દ્વારા આજે દાગીનાની ખરાઈ કરી બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી, વાઈસ ચેરમેન ધનજીભાઈ સાપરીયા, મેનેજીંગ ડિરેકટર પરેશભાઈ આચાર્ય અને બેંકના રેક્ટર પી.પી. સોજીત્રાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુના હસ્તે પરત કરવામાં આવ્યા હતા તેમ બેંકના મેનેજર આશિષભાઈ હિરપરાએ જણાવ્યું હતું.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.