લતા મંગેશકરનું અવસાન: સંગીત જગતમાં મોટી ખોટ, ભારત રત્ન વડે સન્માનિત સુરસામ્રાજ્ઞી

08 ફેબ્રુઆરી 2022 તારીખ બધાને યાદ રહેવાની છે. ભારત રત્ન લતા મંગેશકર જેમને ભારતને ખૂબ સારા સંગીત આપેલ છે તે 08 ફેબ્રુઆરી 2022 ના રોજ સવારે 08:12 વાગ્યે અવસાન થયું છે. લતાજીના મૃત્યુની માહિતી તેમના બહેન ઉષા મંગેશકરે આપી હતી.

લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોસિટિવ અવિયો હતો

લતા મંગેશકરનો 8 જાન્યુઆરીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ન્યુમોનિયા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમની તબિયતમાં સુધારો થયાના એક અઠવાડિયા પછી વેન્ટિલેટર માંથી બહાર કાઢીયા હતા, પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરીથી બગડતાં તેમને વેન્ટિલેટર પર લાવવામાં આવ્યા હતા.

વર્ષ 2019માં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. 80 વર્ષથી સંગીતની દુનિયામાં પોતાનો અવાજ આપે છે અને લતા મંગેશકરે 30,000 થી પણ વધુ ગીતો ગાયા છે.

લતા મંગેશકરને કયા કયા એવોર્ડ મળેલા

ભારતના સ્વરકોકિલા લતાજીને 1969માં પદ્મ ભૂષણ, 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન, 2008માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે વન ટાઈમ એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

લતા મંગેશકરનો જન્મ

સ્વરસમાજની લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં પ્રખ્યાત સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. છેલ્લા ઘણા દાયકાઓથી તેમણે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓના દિલ-દિમાગમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.