રાજુલાથી વિકટર-દાતરડીની બસ અનિયમિત આવતા વિદ્યાર્થીમાં રોષ

રાજુલાથી મહુવા વાયા વિકટર અને દાતરડી તરફથી ચાલતી એસટી બસ અનિયમિત આવતી હાેવાથી વિદ્યાર્થીઓ અને નોકરી માટે અપડાઉન કરતાં લોકોમાં રાેષ જાેવા મળી રહ્યાે છે. તેને લીધે વિદ્યાર્થીઓ અને લોકોએ એકઠા થઈને એસટી નિયામકને પત્ર આપીને રજુઆત કરી હતી. એસટી નિયામકને આપેલ પત્રમાં જણાવાયું હતુ કે રાજુલાથી મહુવા વાયા વિકટર-દાતરડી બસ સવારના સમયે આવતી નથી. બીજી બસ આવે છે પરંતુ બસમા કાેરેાનાની ગાઇડલાઇન મુજબ સીટ પુરી થઇ જતી હાેવાથી બસમા બીજા મુસાફરાેને બેસાડવામા આવતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અને લોકોને મુશ્કેલી પડી રહી છે. વિકટર અને દાતરડી તેમજ મહુવાથી રાજુલા તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને ધંધા નાેકરી માટે જતા લાેકાે મુસાફરી કરતા હાેય છે. ત્યારે મહુવાથી સવારે વાયા વિકટર-દાતરડી બસ શરૂ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તાે આદાેલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.