IPL-2022ની હરાજીમાં ભાવનગરના 5 ખેલાડીઓનો સમાવેશ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl) ની વર્ષ 2022ની‌ હરાજી યોજાનાર છે. આ હરાજી બેંગ્લોર ખાતે આગામી તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આઈપીએલની 10 ટીમો વચ્ચે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના કુલ 590 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે.

આઈપીએલમાં જે 590 ખેલાડીઓની હરાજી થવાની છે તેમાં સૌરાષ્ટ્રના 10 ક્રિકેટરોને તક આપવામાં આવી છે જે પૈકી 5 ભાવનગરના છે. તેમાં ભાવનગરના ડાબેરી ઝડપી બોલર ચેતન સાકરીયા ને 50 લાખની પ્રારંભિક કિંમત સાથે, શેલ્ડન જેક્સનને 30 લાખ સાથે હાર્દિક દેસાઈ, તરંગ ગોહેલ અને યુવરાજસિંહ ચુડાસમાને 20 લાખની પ્રારંભિક કિંમત સાથે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાવનગરના આ પાંચ ખેલાડીઓ ઉપરાંત સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમર્થ વ્યાસ અને પ્રેરક માંકડને હરાજીના લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે.

 વર્ષ 2022ની સીઝનથી અમદાવાદ અને લખનઉની એમ બે નવી ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે નવી ટીમો ના પ્રવેશને કારણે વધુ ખેલાડીઓને આઈપીએલમાં રમવાની તક મળશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.