પેટ્રોલ-ડિઝલ પર એકસાઈઝ ઘટાડવાનો સરકારનો ઈન્કાર, આ કારણના લીધે સરકારે લીધો નિર્ણય

હાલ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી કોઈ વધારો થયો નથી અને સરકાર હવે ક્રુડતેલના ભાવમાં ઘટાડો થાય અને ઈંધણ ખુદની રીતે ઘટે અને તે પણ ઓઈલ કંપનીઓની અન્ડર રીકવરી પુરી રીતે વસુલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કર્યુ છે. સરકાર દેશના લોકોને રાહત આપવા માટે પેટ્રોલીયમ પેદાશોની એકસાઈઝ ઘટાડવા માટે કોઈ વિચારણા કરતી નથી.

પેટ્રોલીયમ ઉત્પાદક ઓઈલ કંપનીઓ તથા નાણામંત્રાલય વચ્ચે પેટ્રોલીયમ ભાવ અંગે એક બેઠક યોજાઈ હતી અને તેમાં સરકારે હાલ ભાવ સ્થિર જ રાખવાની સૂચના આપી છે તથા ક્રુડતેલની વધઘટમાં કંપનીઓ  ‘એડજેસ્ટમેન્ટ’ કરી લે તે જણાવીને હવે ઓઈલ કંપનીઓને રાહત આપવા માટે પણ જાહેર વેચાણના ભાવ યથાવત રાખીને એકસાઈઝ ઘટાડવાની માંગ નકારી હતી.

ઉતરપ્રદેશની ચૂંટણી પુરી થયા બાદ તા.22 માર્ચથી 10 એપ્રિલ વચ્ચે રોજના ભાવ વધારાથી પેટ્રોલ-ડિઝલ રૂા.10 પ્રતિ લીટર મોંઘા કરી દીધા છે અને ગેસના ભાવમાં જે તે કંપનીઓ ગમે તે સમયે વધારે છે. હાલ ફુગાવો 17 માસની સૌથી ઉંચી સપાટીએ છે પણ સરકાર કોઈ રાહત જનતા કે ડયુટી મારફત ઓઈલ કંપનીઓને આપવા માંગતી નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.