amreli fire rallies celebration

અમરેલીના માર્ગો ફાયરની રેલી નિકળી, શહીદોને વંદન કરાયા, સાયરન સાથે ફાયર ડેની ઉજવણી

અમરેલીમાં કાલે ફાયર વિભાગ દ્વારા રેલી યોજી સાયરન સાથે ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે હીરકબાગ ખાતે શહીદોને વંદન કાર્યક્રમ યોજાયો હતો.

ફાયર ડેની ઉજવણી શું કામ કરવામાં આવે છે?

ફાયર વિભાગે જણાવ્યું હતું કે મુંબઈ ખાતે જહાજમાં ધુમ્રપાનથી ઉડેલા તણખલામાંથી ભયંકર ધડાકા સાથે ભિષણ આગ લાગી હતી. જેમાં મુંબઈ ફાયર બિગ્રેડના 66 કર્મચારીઓ શહીદ થયા હતા. તેમજ આ ભયાનક આગમાં કુલ 321 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી જ 14 એપ્રીલના રોજ ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે.

અમરેલીના માર્ગો પર ફાયર ડે

અમરેલીમાં કાલે ફાયર ડે નિમિત્તે ફાયર વિભાગે સાયરન સાથે જુદા જુદા માર્ગો પર રેલી કાઢી હતી. ઉપરાંત શહિદોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજકમલ ચોકમાં શહીદ સ્મારક ખાતે શહિદોને સલામી અપાઈ હતી. આ તકે ફાયર ઓફિસર એચ.સી.ગઢવી, ફાયર વાયરલેસ ઓફિસર એચ. પી. સરતેજા, જયવંતસિંહ પઢીયાર, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભૂરીયા, રૂત્વિકભાઈ ભિમાણી અને કમલેશભાઈ જોષી વિગેરે ફાયર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.