અમરેલી: આજે ફાયર ડે નિમિત્તે શહિદોને વંદન કરાશે, ફાયર વિભાગ દ્વારા રેલીનું આયોજન

0
305
views

અમરેલીમાં 14 એપ્રિલ ફાયર ડેની ઉજવણી કરાશે. અહી ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં રેલીનું આયોજન કર્યું છે. ઉપરાંત રાજકમલ ચોકમાં શહિદ સ્મારક ખાતે શહીદોને સલામી અપાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહેશે. 14 એપ્રીલના રોજ ફાયર ડેની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લા ફાયર વિભાગ દ્વારા હિરગબાગ ફાયર સ્ટેશન ખાતે શહીદોને વંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઉપરાંત શહેરમાં પ્રદર્શન સાથે રેલી યોજાશે. તેમજ રાજકમલ ચોકમાં શહીદ સ્મારક ખાતે શહીદોને સલામી અપાશે.

જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર એચ.સી. ગઢવી, ફાયર વાયરલેસ ઓફિસર એચ.પી. સરતેજા, લિડીંગ ફાયરમેન એચ.બી. બાંભણીયા, આનંદભાઈ જાની, પ્રવિણભાઈ ચૌહાણ, સાગરભાઈ પુરોહિત, અરૂણભાઈ વાઘેલા, હર્ષપાલ ગઢવી, કૃષ્ણભાઈ ઓળકિયા અને કરનભાઈ ગઢવી વિગેરે ઉપસ્થિત રહેશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.