કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ, ભારતના 21 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન

દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં આજે 44 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કુલ 9,195 નવા કેસ આવ્યા છે ત્યારે તેની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 7,347 છે. તેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા 77 હજાર કરતા વધારે થઈ ગઈ છે. બીજી બાજુ ઓમિક્રોન વેરિયન્ટ પણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 781 થઈ ગઈ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં ભારતના 21 રાજયોમાં ફેલાયો છે. આ સંજોગોને જોતા લાગે છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે.

જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2172 નવા કેસ નોંધાયા હતા, આ સાથે મહારાષ્ટ્માં કુલ કોરોના દર્દીની સંખ્યા વધીને 66,61,486 થઈ ગઈ છે.જ્યારે માત્ર મુંબઈમાં જ કોરોનાના 1680 નવા કેસ સામે આવ્યા હતા.એક દિવસ પહેલાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાના 1426 નવા કેસ નોંધાયા હતા તેમાંથી 788 માત્ર મુંબઈમાંજ નોંધાયા હતા. દેશમાં કોરોના મહામારીને કારણે મૃત્યુઆંક વધીને 4,80,290 થઈ ગયો છે. બીજી તરફ દિલ્હીમાં પણ એક દિવસમાં કોરોનાના 500 કેસ નોંધાયા છે.

નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આગામી દિવસોમાં કોરોના વાયરસ કેસ વધી શકે છે. 2022ની શરૂઆતમાં જ કોરોનાના કેસમાં પીક જોવા મળી શકે છે. ત્યારપછી તેમાં ધીમે ધીમે ઘટાડો થવાની પણ શક્યતા છે.જોકે ત્રીજી લહેરની અસર પહેલી અને બીજી અસર જેટલી ઘાતકી નહીં હોય. તે ઉપરાંત આ લહેર લાંબી ચાલવાની શક્યતા પણ ઓછી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.