ધારી ખોડિયાર ડેમમાંથી અમરેલી અને ધારી તાલુકાનાં 18 ગામના ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે

ચાલુ વર્ષે ધારી ખોડિયાર ડેમમાંથી 3500 હેક્ટર જમીનની સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની યોજના છે. જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો અમરેલી અને ધારી તાલુકાના 18 ગામોના ખેડૂતોને ફાયદો થશે. આ સાથે રાજુલાના ધાતરવડી-1 ડેમ માથી 500 ખેડૂતોને 1000 હેક્ટરમાં કેનાલ દ્વારા પાણી અપાઈ રહ્યું છે. ધારી ખોડિયાર ડેમમાં 677 એમસીએફટી પાણી છે. પરંતુ 300 એમસીએફટી પાણી પીવા માટે અનામત રાખવામાં આવશે. ખેડૂતોને પાણી ખોડિયાર ડેમમાંથી કેનાલ મારફતે આપવામાં આવશે. જો કે થોડા દિવસોમાં આ મુદ્દે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાશે. જેમાં ડેમમાંથી સિંચાઈ માટે ક્યારે પાણી આપવું અને કેટલું પાણી આપવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ રાજુલા તાલુકાના ધાત્રાવડી-1 ડેમમાં પણ પુષ્કળ પાણી છે. હાલમાં ધાતરવડી 1 ડેમમાંથી ધારેશ્વર, કુંડલીયાળા, દિપડીયા, ઝાંઝરડા, બર્બટાણા, માંડરડી અને રાજુલા સહિતના 15 ગામોના 500 જેટલા ખેડૂતોને 1000 હેક્ટર જમીનની સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.