અવકાશયાન: આજથી પાંચ દિવસ ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો નજારો જોવા માટે શું કરવું

0
275
views

ખગોળપ્રેમીઓ માટે સારા સમાચાર આજથી ૨૬ ડિસેમ્બર સુધી ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળી શકે છે. આ ઉલ્કાવર્ષા સ્વચ્છ આકાશમાં નરી આંખે પણ જોઇ શકાશે.

જેમિનિડસ ઉલ્કાવર્ષા આઆ મહિનાની ૧૪-૧૫ ડિસેમ્બરે લોકોએ સ્પષ્ટ નીહાળી હતી. હવે આજે ૨૨ ડિસેમ્બર-બુધવારના રાત્રિના ૯.૩૦ કલાકથી ઉર્સિડ્સ ઉલ્કાવર્ષા પડતી નજરે જોઇ શકાશે. આગામી ૨૬ ડિસેમ્બર સુધી ક્રમશઃ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. વિશ્વના કેટલાક દેશમાં ૧૦ થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળશે.

  • કલાકમાં ૧૦થી ૫૦ ઉલ્કા પડતી જોવા મળશે
  • સ્વચ્છ આકાશમાં નરી આંખે બુધવાર સંધ્યાથી પરોઢનો સમય ઉલ્કાવર્ષા નીહાળવા શ્રેષ્ઠ

ઉર્સિડ્સ ઉલ્કાવર્ષા માટે ૨૨ ડિસેમ્બર શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉલ્કાવર્ષા નીહાળવા માટે સંધ્યાના 6 વાગ્યાના સમયથી વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટાભાગે વહેલી સવારના પરોઢે વધુ પડતા ઉલ્કાવર્ષા જોવા મળે છે. દિશાની વાત કરીએ તો ઉત્તર, પૂર્વ દિશા ત્યાં વધુ જોવામાં શ્રેષ્ઠ છે. ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે-રાત્રે ઉલ્કાવર્ષા થાય છે. ખગોળપ્રેમીઓ આવતીકાલે દરિયા કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરીને પડાવ નાખશે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી જેમ રંગબેરંગી ફૂલજળીના દ્રશ્યોને આકાશમાં નિહાળવા મળશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.