૧ જાન્યુઆરીથી સુરત- અમરેલી વચ્ચે એરલાઇન સેવાનો પ્રારંભ

રાજય સરકારના સહયાેગ દ્વારા વેન્ચુરા એરકનેકટ એરલાઈન્સ કંપની સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તારીખ 1 જાન્યુઆરીથી સુરતથી ઉડ્ડયન મંત્રીના હસ્તે સુરતથી અમરેલી હવાઇ સેવાનાે પ્રારંભ કરવામા આવશે. આંતરરાજય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની વેન્ચુરા એરકનેક્ટ એરલાઈન્સ કંપની દ્વારા શનિવારે એટલેકે 1 જાન્યુ.2022 થી 9 સીટર ધરાવતા વિમાન વડે સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ,સુરતથી ભાવનગર અને સુરતથી અમરેલી એમ ચાર સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ કરશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે તો ફાયદો થશે જ. સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.

આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એક સમાન રૂપિયા 1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે. આમ નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.