ગુજરાતની શાળાઓમાં ધો.11 અને 12ના અભ્યાસક્રમમાં નવા સત્રથી સાત વૈકલ્પિક વિષય દાખલ કરવામાં આવશે

  • નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને આપણાં વારસાથી માહિતગાર થાય એ માટે તેમને નવા નવા વિષયો શીખવવામાં આવશે. અગાઉ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. જ્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને શૈક્ષણિક વર્ષ 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ 223  માદયમિક અને ઉચ્ચતર માદયમિક શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે.

આ સાત વિષયનો ઉમેરો કરવામાં આવશે

  • એગ્રિકલ્ચર ( પ્રાકૃતિક ખેતી)
  • એપરલ & મેઈડ UPS & હોમ ફર્નિશિંગ
  • ઓટોમોટિવ
  • બ્યૂટી એન્ડ વેલનેસ
  • ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર
  • રિટેલ
  • ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી

નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક અને ઉચ્ચતર માદયમિક શાળામાં બાળકોની સ્કિલનો વિકાસ થાય તેવા કોર્સ શરૂ કરવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત અમદાવાદમાં 60 જેટલી શાળામાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાનું જણાવ્યું હતું. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ પણ માત્ર 2 સ્કૂલે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી છે. દરેક શાળા એવું માને છે કે, જો પોતે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરશે તો શિક્ષકની વ્યવસ્થા પણ પોતે જ કરવી પડશે. જ્યારે સરકાર દ્વારા આ મુદ્દે પણ વિચાર થયો છે. શાળા પર આર્થિક ભારણ પડશે નહીં, પરંતુ શાળાએ આ માટેની વ્યવસ્થા પોતાના કેમ્પસમાં કરવી જોઈએ, આથી બાળકોને અભ્યાસની સાથે સ્કિલ આધારિત વિવિધ કોર્સની માહિતી પણ મળશે. ઉપરાંત સ્કૂલોમાં શરૂ થનારા કોર્સ વિદ્યાર્થીને ભવિષ્યમાં નોકરી માટે મદદરૂપ થશે, પરંતુ સ્કૂલો પોતાના સ્વાર્થ માટે આ કોર્સમાં જોડાઈ રહી નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.