સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોના વીજ પ્રશ્નોને લઈ વીજ કચેરીનો ઘેરાવ કરી ધરણા યોજ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ પ્રશ્નોને લઈને આજે ધરણાં યોજયા હતા જેમાં તેમની સાથે અલગ અલગ ગામના ખેડૂતો પણ જોડાયા હતા. અને તેમણે પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. ધારાસભ્ય અને ખેડૂતોએ વીજ કચેરીમાં ધરણા ચાલુ કરતાં વીજકર્મીઓમાં દોડધામ મચી ગયી હતી. ખેડૂતોએ પોતાને પડતી તકલીફો અને વીજ પ્રશ્નોને લઈ ગુસ્સો વ્યકત કર્યો હતો.ખેડૂતોનું કહેવું એવું છે કે તેમને દિવસે વીજળી મળતી ના હોવાથી તેમને રાત્રિના સમયે ખેતરોમાં જવું પડે છે.કેમ કે રાત્રે વીજળી મળતી હોવાના કારણે તેમને જંગલી જાનવરના હુમલાનો ડર રહે છે.

તો બીજી તરફ કેટલાક ખેડૂતોને બંધ મીટરમાં જ બીલ આવતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. જો થોડા દિવસોમાં પ્રશ્નોને યોગ્ય ઉકેલ નહીં આવે તો ખેડુતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચારી દીધી છે. જો કે, વિરોધ પ્રદર્શન દરમ્યાન ધારાસભ્ય અને ખેડૂતો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું ભૂલ્યા હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.