અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બાદ ભાવફેર કરતા વેપારીનું લાયસન્સ રદ અને 1 લાખનો દંડ

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં કપાસ લાવનાર ખેડૂત પાસેથી હરાજીમાં કપાસની ખરીદી કર્યા બાદ સ્થાનિક વેપારીએ ભાવમાં ફેરફાર કરતાં ખેડૂતે યાર્ડના ચેરમેનને ફરિયાદ કરી હતી. જેના પગલે યાર્ડે વેપારી પેઢીને રૂ.1 લાખનો દંડ ફટકારી એક માસ માટે લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

સંસ્થા દ્વારા ત્રણ મહિના પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોઈ વેપારી ભાવમાં ફેરફાર કરશે તો એક લાખનો દંડ અને લાઇસન્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન વેળાવદરના એક ખેડૂત કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા. ખેડૂતે સ્થાનિક પેઢીને રૂ.2186 માં કપાસ વેચ્યો હતો અને કપાસનું વજન કરી ઢગલામાં ભેળવી દીધું હતું. બાદમાં ખેડૂતને રૂ. 2160 ની ચીઠ્ઠી આપવામાં આવી હતી. ખેડૂતને રૂપિયા 26 કાપીને ચીઠ્ઠી આપી હતી.ખેડૂતે વેપારી પાસે પૈસા માંગતા હું પૈસા નહીં આપું તેવું કહ્યું હતું.

જોકે, કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ખેડૂતે આ અંગેની માહિતી યાર્ડના ચેરમેનને આપતાં તેમણે તપાસ સેક્રેટરીને આપી હતી. તેણે સીસીટીવી કેમેરા સહિત પેઢીની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ આ પેઢી દ્વારા ભાવફેર કરેલ હોવાનુ સાબિત થતા ખેડૂતોના હિતના રક્ષણ માટે યાર્ડના ચેરમેન દ્વારા પેઢીને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ પેઢીનું લાઇસન્સ એક મહિના માટે રદ કરવામાં આવ્યું હતું.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.