જૂનાગઢનાં ભવનાથમાં બે વર્ષ બાદ મહાશિવરાત્રિનો મેળો યોજાશે

જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળાને સરકાર દ્વારા બે વર્ષ બાદ આયોજન માટે મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ કોરોનાને કારણે મેળો બંધ રહ્યા બાદ સરકારે આ વર્ષે મંજૂરી આપતાં સાધુ-સંતો અને ભાવિકોમાં ખુશીનો જોવા મળી રહી છે. આ વર્ષ જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાશે.

જૂનાગઢમાં ભવનાથના મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રિના પૌરાણિક મેળાનું આયોજન છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે બંધ રખાયું હતું. આ વર્ષે હાલ કોરોનાના કેસ ઓછા હોવાથી અને વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં થયું હોવાથી સાધુ-સંત તથા જૂનાગઢ સહિત રાજ્યભરના ભક્તો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ભવનાથનો મેળો યોજવાની છૂટ આપવા માગણી કરવામાં આવી હતી તથા ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

જેને લઈને આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા બેઠક કરવામાં આવી, જેમાં ભવનાથના મહાશિવરાત્રિના મેળાને મજૂરી આપી દેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. અને આ વખતે ભવ્ય મેળોનું આયોજન કરાશે એવી તંત્રએ જાહેરાત કરી હતી. મેળાના આયોજન માટે આગામી દિવસોમાં જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવશે અને દરેક યાત્રિકોને મેળામાં પ્રવેશ આપવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સાધુ-સંતો, ધારાસભ્ય, સામાજિક સંસ્થાઓ સાથે તમામ મુદાઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.