ભગવાન શિવ કોર્ટમાં હાજર થયા !

ભગવાનને શુક્રવારે છત્તીસગઢની કોર્ટમાં હાજર થવાની ફરજ પડી હતી, હા તમે બરાબર વાંચ્યું. રાજગઢના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ આ ઘટના બની હતી. અધિકારીએ શંકર ભગવાનને આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી. પછી તેણે કહ્યું કે જો ભગવાન કોર્ટમાં હાજર નહીં થાય તો તેને 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. હવે આવી સ્થિતિમાં ભગવાન સાક્ષાત તો આવી શકે નહીં તેથી ભક્તોએ મંદિરમાંથી શિવલિંગને ઉખાડીને કોર્ટમાં લઈ ગયા. પરંતુ આ દરમિયાન કોર્ટમાં પણ ભગવાનને રાહત મળી નથી. તહસીલદારની ગેરહાજરીને કારણે કોર્ટે તેમને આગામી તારીખ આપી હતી.

રાયગઢમાં ગેરકાયદે કબજો અને બાંધકામને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કિસ્સામાં, રાયગઢ તહસીલ કોર્ટે 23 થી 24 ફેબ્રુઆરી અને 2 માર્ચની વચ્ચે કૌહાકુંડા ગામમાં તપાસ માટે એક ટીમની રચના કરી હતી. જેમાં જાણવા મળ્યું કે અનેક લોકોએ ગેરકાયદેસર રીતે જમીન વાળી લીધી છે. આ પછી કોર્ટે 10 લોકોને નોટિસ ફટકારી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકોને નોટિસ આપવામાં આવી છે તે હાજર નહીં રહે તો તેમને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ મામલે શુક્રવારે સુનાવણી થવાની હતી. આ દરમિયાન કોહાકુંડાના વોર્ડ 25માં બનેલા શિવ મંદિરનું નામ પણ સામેલ હતું. નોટિસમાં કોઈ પૂજારીનો ઉલ્લેખ ન હોવાથી તેને સીધી મહાદેવ વિરુદ્ધ જાહેર કરવામાં આવી હતી. આ પછી, ભક્તોએ મંદિરમાંથી શિવલિંગને ઉપાડ્યું અને તેને ટ્રોલીમાં રાખી અને કોર્ટમાં લઈ ગયા. જ્યારે લોકો શિવલિંગને લઈને કોર્ટમાં પહોંચ્યા તો ખબર પડી કે મોટાભાગના અધિકારીઓ અન્ય કામમાં વ્યસ્ત છે, તેથી આગામી તારીખ 13 એપ્રિલ પસંદ કરવામાં આવી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.