જૂનાગઢ: સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન, કાલે સમાધિ આપવામાં આવશે

જૂનાગઢમાં સંત કાશ્મીરી બાપુ એ આજે જીવ નો ત્યાગ કરિયો છે. સંત કાશ્મીરી બાપુના અવસાનથી જુનાગઢ ગિરનારના સાધુ સંતો અને ભાવિકો શોક વ્યાપી રહિયા છે.

કાશ્મીરી બાપુ એ યુવા અવસ્થામાં તપ કરિયું હતું

સંત કાશ્મીરી બાપુનું આજે જુનાગઢમાં અવસાન થયું છે. કહવાય છે કે તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર ઉપર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું. સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.

સાધુ સંતો માં શોક પ્રસરી ગયો

સંત કાશ્મીરી બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ ખસેડવામાં અવિયા હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

સંત કાશ્મીરી બાપુને કાલે સમાધિ આપવામાં આવશે

સંત કાશ્મીરી બાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે તેવું સેવકો પાસેથી જાણવા મળી રહ્યુ છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.