ધર્મ: આજે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો, આને જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરો

આજે રવિવાર, અને માગશર મહિનાની અમાસ છે. રવિવાર અને અમાસના યોગમાં સૂર્યદેવની ખાસ પૂજા કરવી સારું કહવે છે. સાથે પિતૃઓ માટે પણ આજ ધર્મ-કર્મ કરવું સારું છે. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું ખૂબ જ વધારે મહત્ત્વ કહેવાય છે. વધુ જાણકારી માટે નીચે લેખ વાંચો:

ભગવાનની પૂજા કેવી રીતે કરવી?

અમાસના દિવસે મહાલક્ષ્મી માટે પણ પૂજાપાઠ કરવી જોઈએ આ વાત એક ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય જણાવે છે. તે પણ જણાવે છે ક આજ રવિવારે સાંજે સૂર્યાસ્ત પછી પૂજા કેવી રીતે કરવી! ઘરના મંદિરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો દક્ષિણાવર્તી ને શંખથી અભિષેક કરો. પછી કેસર મિશ્રિત દૂધને શંખમાં ભરો અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને દૂધથી સ્નાન કરાવો.

લક્ષ્મી-વિષ્ણુ ને સ્નાન પછી શું કરવું?

ભગવાનને અભિષેક પછી પીળા વસ્ત્રને અર્પણ કરવું જોઈએ. પછી ફૂલ-હાર ચઢાવો. હવે મીઠાઈમાં કોઈ પણ સ્વીટનો ભોગ તુલસીના પાન સાથે ધરાવો. આટલું થઈ જાય પછી: ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ઘરના મંદિરમાં ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. પૂજા પછી ભગવાન પાસે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલની માફી માંગી અને ક્ષમા અર્ચના કરી પ્રાથના પૂરી કરો.

અમાસના દિવશે દાન કરો

આજે અમાસના દિવસે દાન કરવું જોઈએ અને હાલ ઠંડીનો સમય હોવાથી તમારે ગરમ કપડાંનું દાન કરવું જોઈએ, એટલે જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરો. કોઈ આસ પાસ ગૌશાળા હોય તો લીલું ઘાસ દાન કરો.

આ પણ કરો: ઘરના ફળિયામાં તુલસી પાસે ઘી નો દીવો પ્રગટાવો. પછી ઘરના દ્વાર ઉપર દીવો પ્રગટાવો અને ઘરની આસપાસ કોઈ મંદિરમાં ભગવાન સામે દીવો પ્રગટાવીને આરતી પૂર્ણ કરો.

આજના સમયે અમાસના દિવસે ઘરની બાજુમાં કોઈ તળાવ કે નદી હોય તો તેમ રહેલી માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. આ શુભ કામ કરવાથી તારામાં મનને શાંતિ મળશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.