સૌરાસ્ટ્ર: અમરેલીથી વેરાવળ, જૂનાગઢની ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે

ભાવનગર રેલવે દ્વારા અમરેલી- વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચાલતી ટ્રેનમાં પાસની સુવિધા ચાલુ કરાઇ છે. જેનાથી અમરેલી થી દરરોજ અપડાઉન કરતા પેસેન્જરને ફાયદો થશે.

અપડાઉન કરતા મુસાફરોને શું ફાયદો થશે?

ભાવનગર રેલવે દ્વારા કુલ 9 ટ્રેનમાં સીઝન પાસ શરૂ કર્યા હતા. કોરોના કાળને લીધે રેલવે તંત્રએ અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ ટ્રેન વ્યવહાર સ્થગિત હતો. હવે અહી મીટરગેજ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. પરંતુ દરરોજ અપડાઉન કરનારા મુસાફરો સીઝન પાસનો ઉપયોગ કરી શકતા ન હતા. ત્યારે પશ્વિમ રેલવે આવતીકાલથી ટ્રેનમાં સીઝન પાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

ક્યાંથી પાસ ચાલુ કરશે?

ભાવનગર રેલવે મંડળે પણ 9 ટ્રેનમાં આવતીકાલથી સીઝન પાસ ચાલુ કરશે. ભાવનગર ડિવીઝનના સિનિયર ડીસીએમ આશૂક અહમદે જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસથી રાજકોટ-સોમનાથ, પોરબંદર-કાનાલુસલ, ભાવનગર-પાલિતાણા, પોરબંદર- સોમનાથ, જૂનાગઢ- દેલવાડા, ભાવનગર- પાલિતાણા, અમરેલી- વેરાવળ અને અમરેલી- જૂનાગઢ ટ્રેનમાં સીઝન પાસ ચાલશે. સીઝન ટીકીટ ધારકો આરક્ષિત કોચમાં મુસાફરી કરી શકશે નહી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.