અમરેલી જિલ્લા માટે ખુસ ખબર છે જે લોકો જિલ્લા માંથી સુરત માટે જવા માંગતા હોય કે સુરત થી આવવા માટે મહુવા સુરત વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને વધારાના પાંચ કોચ જોડાશે. જેના કારણે જિલ્લાના દામગર, સાવરકુંડલા, લીલીયા અને રાજુલાના લોકોને તહેવારમાં સુરત – આવવા જવા માટે લોકો ને ફાયદો થવાનો છે.
જિલ્લાના કયા કયા સ્ટેશનને ફાયદો થશે?
તહેવારોમાં મહુવા સુરત વચ્ચે દોડતી ટ્રેનમાં મુસાફરોને ભારે ભીડ જોવા મળતી હોય છે. એટલે કે ઉત્તરાણના પર્વ પર પણ દામનગર, લીલીયા, સાવરકુંડલા અને રાજુલા પંથકના લોકો સુરત થી મહુવા ટ્રેનમાં મુસાફરી વધુ જોવા મળે છે.
કઈ તારીખ થી વધારે ડબા જોડાશે?
ભાવનગર રેલવેના માશૂક અહમદે કહે છે કે મહુવા- સુરત એક્સપ્રેસ ટ્રેનમાં હંગામી ધોરણે એટલે કે આ તહવારમાં 2 જનરલ અને 3 ac કોચ વધારે લગાવવામાં આવશે. આ કોચ મહુવાથી 16 થી 15 જાન્યુઆરી સુધી અને સુરતથી 15 થી 14 જાન્યુઆરી સુધી જોડાશે. જેના કારણે મુસાફરોને ફાયદો થશે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.