SP નિર્લિપ્ત રાયે તેના કાર્યકાળમાં 100 થી વધુ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા અથવા બદલી કરી

છેલ્લા 4 વર્ષથી અમરેલી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા નિર્લિપત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. IPS નિર્લિપત રાયની ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2018માં અમરેલી જિલ્લામાં બિટકોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે તત્કાલિન એસપીની ધરપકડ કરી હતી. જેના કારણે અમરેલી પોલીસની છબી ખરડાઈ હતી. ત્યારે એસપી નિર્લિપત રાયને અમરેલી જિલ્લાની કમાન સોપવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષમાં એસપી નિર્લિપત રાયે અનેક ગુનેગારોને જેલમાં મોકલી દીધા છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં દારૂ અને જુગાર પર અંકુશ લાવવા માટે અમરેલીના એસપી નિર્લિપત રાયને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિર્પત રાય ભ્રષ્ટ પોલીસકર્મીઓ અને ગુનેગારો સાથે સંબંધ ધરાવતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે જાણીતા છે. SP નિર્લિપત રાયે અમરેલી જિલ્લામાં 130 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. એસપી નિર્લિપત રાયને બાતમી મળી હતી કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે રેતી સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ શરૂ થઈ છે જેને લઈને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરી નાખી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.