સાવરકુંડલામાં એક ચેરિટેબલ ટ્રસ્ટથી જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ, ગરમ કપડાંનુ વિતરણ કરાયું

અમરેલીના સવારકુંડલામાં દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જરૂૂરિયાત મંદ લોકો ને આજે બ્લેન્કેટ અને ગરમ કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ ની સાવરકુંડલા શાખા દ્વારા આ કડકડતી ઠંડીમાં જે લોકો ને રહેવાનો આશરો નથી અને જે લોકો ફુટપાથ પર કે ખુલ્લા જગ્યા માં કુટુંબ સાથે નાના જુપડામાં રાતવાસો કરનાર ગરીબ લોકોને આ શિયાળા કડકડતી ઠંડી થી રક્ષણ આપવા માટે આ ટ્રસ્ટ દ્વારા સ્થળ પર જઈને લોકો ને શોધીને ગરમ બ્લેન્કેટ આને ગરમ કપડા અને ખાસ કરીને નાના બાળકો ને ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવે છે.

સાવરકુંડલા ની અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ કબીર ટેકરી, બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ વિશાલભાઈ વ્યાસ દ્વારા સેવા કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આશરા વગરના લોકો જે બહાર ઠંડીમાં ખુલ્લામાં સુતા હોય તેને શોધી ને મધ્ય રાત્રિએ સાવરકુંડલા શહેર નો કોઈ પછાત વિસ્તાર રહી ના જાય તે ધ્યાન માં રાખી ને પરાગભાઇ ત્રિવેદી ના માર્ગદર્શન દ્વારા પ્રફુલભાઈ ગોસાઈ, ગોપાલભાઈ ભરખડા, કાર્તિકભાઈ મહેતા દ્વારા વિતરણ કરવામાં અવિયું હતું.
(તસવીર: સૌરભ દોશી, ગુજરાત મિરર)

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.