કિશન ભરવાડ હત્યા કેસ: જન આક્રોશભર્યા વાતાવરણ વચ્ચે અમરેલી જિલ્લા પોલીસે પેટ્રોલીંગ વધાર્યું

ધંધુકામાં બનેલ બનાવ કે જેમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી તેને લીધે હાલ ગુજરાતભરમાં  હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ન્યાયની માગ કરવામાં આવી રહી છે. કાલે રજૂઆત સમયે ઘણા શહેરોમાં ઘર્ષણના પણ બનાવો સામે આવ્યા હતા. જેને લીધે આ પ્રકારની ઘટનાઓ ન થાય તે માટે અમરેલી જિલ્લા પોલીસ પહેલાથી જ સાવચેત બની છે અને પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયના ઓર્ડર બાદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ છે.

ઇન્ટરનેટ અને સોશયલ મીડિયા ઉપર કેટલાક લોકો સામાન્ય રીતે ઉશ્કેરી જનક ભાષણ અને એક બીજાની જાતિ વચ્ચે અશાંતિ ઉભી થાય તેવા પ્રકારની પોસ્ટ મુકાતી હોય છે. તેના કારણે વધુ વિવાદો વધતા હોય છે. આવા પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાઈબર ક્રાઇમની ટીમ પણ આવી ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. જ્યારે અમરેલી સાઇબરની અલગ અલગ ટીમો દ્વારા વોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ,ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે જેની તમામ લોકો એ નોંધ લેવા માટે પોલીસ દ્વારા અપીલ કરાય છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.