જૂનાગઢ થી અમરેલી એસ ટી બસ સુવિધા માટે રજુવાત, ક્યારે મળે છે બસ સુવિધા

અમરેલી જિલ્લા ના કુંકાવાવ ખાતે સાંજ ના સાત વાગ્યાં બાદ બગસરા થી આવવા કે જવા માટે કોઈ એસ.ટી. ની સુવિધા નથી હોવાથી લોકો ને હાલાકી પડે છે. આ બાબત ની રજુવાત કુંકાવાવ વેપારી મંડળ ને મળતા જૂનાગઢ થી અમરેલી રૂટ ની મોટી નહિ તો મીની બસ જે જૂનાગઢ થી અમરેલી માટે હોવી જોઈએ.

બસ સુવિધા થી કોને ફાયદો થશે

રાત્રે 8:30 કલાકે જૂનાગઢ થી એસ.ટી ઉપડે છે જે 10:30 કલાકે બગસરા મુકામે પહોંચે છે અને ત્યાર બાદ અમરેલી રાતે 11:30 આસપાસ પહોંચે છે આ રૂટ ને બગસરા થી વાયા કુંકાવાવ કરવામાં આવે તો સાંજ ના સમયે બગસરા થી કુંકાવાવ અને અમરેલી જવા માટે હડાળા, વાઘાણીયા, અમરાપુર, આંકડિયા સહીત દસ થી પણ વધુ ગામના લોકો ને ફાયદો થઇ શકે તેમ છે.

ઉપરાંત રાત્રી ની એક પરિવહન ની સુવિધા પણ જૂનાગઢ થી અમરેલી વચ્ચે આવતા ગામડાં ઑ જે મળી શકસે. આ બાબતે આ જૂનાગઢ – અમરેલી રૂટ ની રાત્રી ની આ બસ ને વાયા કુંકાવાવ કરવા કુંકાવાવ વેપારી મંડળ દ્વવારા અમરેલી ડેપો મેનેજર અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી ને રજુવાત કરવામાં આવી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.