જાફરાબાદ: કમોસમી વરસાદના કારણે માછીમારોને વ્યાપક નુકસાન, સરકાર સમક્ષ રાહત પેકેજ ની માગ

  • કમોસમી વરસાદના કારણે માછીમારોને વ્યાપક નુકસાન
  • 4 બંદર પર કરોડો રૂપિયાનું નુકસાન
  • સરકાર સમક્ષ રાહત પેકેજ ની માગ કરવામાં આવેલી છે.

અમરેલી જિલ્લાના માવઠા ના લીધે વાતાવરણમાં આવેલા પલટાના કારણે દરિયાખેડૂઓની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં સૂકવવામા આવેલી માછલીના જથ્થાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માછીમાર આગેવાનોએ સરકાર સમક્ષ રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે.

જાફરાબાદ બંદર, શિયાળ બેટ, રાજપરા, નવાબંદર સહિતના વિસ્તારમાં સૂકવવામા આવેલી માછલી પર કમોસમી વરસાદ વરસવાના કારણે માછીમારોએ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકી એ કહ્યું હતું કે, હાલમાં વરસાદ ચાલુ છે જેના કારણે અમારા 4 બંદર પર કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. બુંબ્લા નામની માછલી કાંઠા વિસ્તારમાં સૂકવવામા આવે છે અને બાદમાં વિદેશમાં એક્સપોર્ટ કરવામા આવતી હોય છે. પરંતુ, કમોસમી વરસાદના કારણે આ જથ્થો બગડી ગયો હોવાની રજૂઆત કરવામા આવી છે.

તાઉતે વાવાઝોડા બાદ આફતનો સિલસિલો યથાવતતાઉતે વાવાઝોડામાં માછીમારોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત કરવામા આવી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની સાથે દરિયાખેડૂઓની ચિંતામાં પણ વધારો થયો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.