ધનશ્યામ ભાઈ નાયક (નટુકાકા) કેન્સરથી થયું નિધન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા એટલે ઘનશ્યામ નાયક નું કેન્સરની બીમારીથી છેલ્લા શ્વાસ લીધા. ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર રેહતા હતા. ઘનશ્યામભાઈ નાયકનો જન્મ 1944માં થયો હતો.

નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાથી તીનું સારી હોસ્પિટલમાં નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં કુલ 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.

નટુકાકા ને શું બીમારી હતી?

ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત બહાર પાડી હતી.

સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.

ઘનશ્યામ ભાઈ નું ફિમલ જગત

છેલ્લે ઘનશ્યામ નાયક ને આપણે તારખમહેતા કા ઉલ્ટા ચશ્મા માં જોયા હતા. એમને ગુજરાતી ફિલ્મમાં પણ ખુબજ યોગદાન આપેલું છે. ગુજરાતી થિએટર માં પણ કામ કરેલું છે. નટુ કાકા એ નાનકડા ગામ થી મુંબઈ સુધીની યાત્રા કરી હતી. હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ માં પણ ઘનશ્યામ ભાઈ એ કિરદાર નિભાવ્યું છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.