અમરેલી જિલ્લામાં કોરોના કેસમાં વધારો , એકજ દિવસમાં નવા 21 કેસ

અમરેલી જીલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એને જોતાં લાગી રહ્યું છે કે જિલ્લામા કાેરાેનાની ત્રીજી લહેરનુ આગમન થઇ ચુકયુ છે, દિવસે ને દિવસે કોરોના પાેઝીટીવ કેસની સંખ્યા સતત વધારો થઈ રહીયો છે. અને સૌથી વધુ અમરેલી શહેરમા કાેરાેનાના કેસ સામે આવી રહ્યાં છે. જો શુક્રવારની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામા કાેરાેનાના 20 કેસ સામે આવ્યા હતા. જયારે ગઈ કાલે એટલેકે શનિવારે વધુ નવા 21 કેસ સામે આવ્યા છે. આજે અમરેલી જિલ્લામા આવેલા 21 કેસ માંથી સાૈથી વધુ કેસ અમરેલી શહેરમા 10 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. સુત્રાેએ જણાવ્યું હતુ કે આ ઉપરાંત બગસરામા પણ 6 કેસ નાેંધાયા હતા. જ્યારે સાવરકુંડલા અને ધારીમાં 2-2 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. તથા રાજુલામા 1 પાેઝીટીવ કેસ સામે આવ્યાે હતાે.

અમરેલી જિલ્લામા ત્રણ દિવસમા જ કાેરાેનાના 50 કેસ સામે આવ્યા છે. તેને લીધે આરાેગ્ય તંત્ર પણ દાેડતુ થયુ ગયું છે. પાેઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે તેની સાથે સાથે રાહતના સમાચાર એ છે કે માેટાભાગના દર્દીઓને હાેમ આઇસાેલેશનમા જ રખાયા છે કારણ કે તેમના માં હળવા લક્ષણ જ જોવા મળ્યા છે. હાેસ્પિટલમા દાખલ થનારા માેટાભાગના દર્દીઓને પણ રજા મળી ગઇ છે.

એક બાજુ કાેરાેનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ રસીકરણ કેન્દ્રાે પર વેકસીન લેવા આવનારા લાેકાેની સંખ્યા ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે અમરેલી જિલ્લામાં કુલ 4257 લાેકાેને જ વેકસીન આપવામા આવી હતી. ​​​​​​​અત્યાર સુધીમા જિલ્લામા 19,89,302 વેકસીનના ડાેઝ આપવામા આવ્યા છે. જેમા વેકસીનનાે એક ડાેઝ લેનારાની સંખ્યા વધુ છે પણ બીજાે ડાેઝ લેવા નહી આવનારા લાેકાેની સંખ્યા વધુ છે. અમરેલી જિલ્લાના 546 ગામાેમા અત્યાર સુધીમા 100 ટકા રસીકરણ કરાયુ છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.