ભૂપેન્દ્ર પટેલ હવે એક્શનમાં, PGVCLના નાયબ કાર્યપાલક ઈજનેરને સરકારે નોટિસ ફટકારી

ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શન મોડમાં આવી છે. મુખ્યપ્રધાને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાના પ્રશ્નો ઉકેલવા તાકીદ કરી છે. આ સાથે કહે છે કે જ લોકોની રજૂઆત ન સાંભળનાર કે ફોન ન ઉપાડનાર સરકારી અધિકારીઓ સામે સરકાર પગલાં લેશે.

PGVCLના ઇજનેરને નોટિસ આપી

એટલે કે તાજેતર માં PGVCLના નાયબ કાર્યપાલક ઈજનેરને સરકારે નોટિસ ફટકારી છે. PGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર એ પી ઉકાણી ફોન ન ઉપાડતા હોવાની થઇ ફરિયાદ કોઈ જાહેર પ્રજા એ કરી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નો સાંભળવા અધિકારીઓને ટકોર કરી છે.

બે દિવસ પહેલા જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ અંગે ગાંધીનગરમાં એક નિવેદન આપ્યું હતું. ગાંધીનગરમાં એક સભાને સંબોધતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જનતા સાથે કદમ સાથે કદમ મિલાવી કામ કરીશું અને જનતાને નડતી મુશ્કેલીઓ તેમના સુધી પહોચશે તો તેના નિવારણની પૂરી તાકાત તેમનામાં છે. મુખ્યપ્રધાને કહ્યું કે મારી પાસે મુશ્કેલી લઈને આવો અને મારા સુધી પહોચવામાં પણ કોઈ મુશ્કેલી આવે તો પણ મારા સુધી વાત પહોચાડો. મુખ્યપ્રધાને કહ્યું તેમના નંબર બધાની પાસે છે જ. મુખ્યપ્રધાને કહ્યું કે ઘણા બોલે છે કે ચૂંટણી સામે નેતાઓ બોલી જાય છે, પણ પછી દેખાતા નથી, પણ હવે આવું નહિ થાય.

મુખ્યપ્રધા શ્રી ભૂપેન્દ્રજી એ કહ્યું કે આવી સમસ્યા ન આવે એની જવાબદારી અમે બધા લઈએ છીએ. મુખ્યપ્રધાને કહ્યું કે આ જવાદારીમાંથી કોઈ છટકે તો પણ તેમના સુધી વાત પહોચાડવી. મુખ્યપ્રધાને કહ્યું, તમને અમારા સુધી પહોચવામાં કોઈ તકલીફ પડે તો પણ જાણ કરજો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.