અમરેલી જિલ્લામાં 15 થી 18 વર્ષ માટે કેટલી વેક્સિન જોશે જાણો એનો અંદાજ કેવી રીતે લાગશે

ભારત સરકાર દ્વારા 3 જાન્યુઆરી 2022 થી 15 થી 18 વર્ષના સગીરને કોરોનની રસીકરણ આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમરેલી જિલ્લાનુ આરોગ્ય તંત્ર આ રસીકરણ માટે સજ્જ બન્યું છે. અમરેલી જિલ્લામા આ ઉંમરના 1.18 લાખ લોકોને વેકસીન અપાશે. જો કે આ વેકસીન કઇ રીતે અપાશે તેની કોઇ સ્પષ્જ ગાઇડલાઇન સ્થાનિક તંત્રનેહજુ મળી નથી.

જાણવામાં અવીયું છે કે હજુ મોટી સંખ્યામા લોકોએ વેકસીનનો પહેલો અને બીજો ડોઝ લીધો નથી. ત્યાં હવે 15 થી18 વર્ષની ઉંમરના લોકોના વેકસીનેશન પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. અમરેલી જિલ્લામા આ વયજુથના કુલ 1,18,492 લોકો છે. જેને આગામી ત્રીજી તારીખથી વેકસીન આપવાનુશરૂ કરી દેવાશે. અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ના છાત્રોની સંખ્યાના આધારે આ વયજુથના લોકોનો અંદાજ લગાવાયો છે. શિક્ષ્ણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ના શાળાએ આવતા અને નહી આવતા છાત્રોની નોંધણી કરી છે. જેના આધારે આ સંખ્યાનક્કી કરવામા આવી છે.

અમરેલી જિલ્લામાં 15 થી 18 વયજુથમા જિલ્લામા કેટલા લોકો છે તેની ગણતરીનો કોઇ અન્ય સોર્સ તંત્ર પાસે ઉપલબધ્ નથી કે તેનાથી જની શકાય. અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રના સુત્રોએ જણાવ્યું હતુ કે સગીર વયના લોકોને કઇ રીતે વેકસીન અપાશે તેની હજુ કોઇ ગાઇડલાઇન સરકાર દ્વારા આવી નથી. જો ધોરણ 9 થી 12નાછાત્રોને સ્કુલમા જઇ વેકસીન આપવાની સુચના આવશેતો તે માટે પણ તંત્ર સજજ છે. આ ઉપરાંત દરેક વેકસીનેશન સેન્ટર પર પણ વેકસીન અપાઇ શકે છે. જો છાત્રોને ઘરેઘરે જઇ વેકસીન આપવાની સુચના અપાશે તોતે મુજબ કાર્યવાહી થશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.