અમરેલી : કોવાયા ગીરીબાપુની ‘શિવકથા’નું શ્રવણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજુલા તાલુકામાં આવેલું કોવાયા જ્યાં લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત ગીરીબાપુની શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી શ્રીએ શિવકથાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા ઉમેર્યુ હતું કે, સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતા જ આઘ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થાય છે. શિવકથામાં સામેલ થવા બદલ મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિવકથામાં

રાજયના પ્રત્યેક નાગરિકનાં જીવમાં શિવ જોઈને સરકાર રાજયના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધા પુરી પાડવા કટીબઘ્ધ છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ધરતીમાતાનું સ્વાસ્થ્ય સુધારવા અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મુકયો હતો અને ઉમેર્યુ હતું કે, આમ કરવાથી જમીનનું આરોગ્ય સુધરશે, મૂલ્યવાન પૌષ્ટિક ખોરાકની ભેટ મળી શકશે અને નાની ઉંમરે થતાં ગંભીર રોગોથી બચી શકાશે.

ભાજપના અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્થિત

ગીરીબાપુ વ્યાસપીઠ પર બિરાજેલા ત્યાં પાસેથી ભૂપેન્દ્ર પટેલે આશીર્વચન ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, તાલાળાનાં ધારાસભ્ય ભગાભાઈ બારડ, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ અઘ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, આતાભાઈ લાખણોત્રા, રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, સંતો-મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહૃાાં હતાં.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.