અમરેલીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાની સાથે ગાંધી જયંતી ઉજવાઇ કરાઈ

અમરેલીમાં ગઈ કાલે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ ગાંધીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ આપવામાં આવી હતી.

અમરેલીમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ

અમરેલી નગરપાલિકા દ્વારા ડો. જીવરાજ મહેતા ચોક ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરાયેલા સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીયમંત્રી અને અન્ય આગેવાનોએ અમરેલીના જાહેર માર્ગોની સાફસફાઇ કરી હતી.

ગાંધી જયંતી નિમિત્તે કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી અન્યોને પણ ખાદીની ખરીદી માટે પ્રેરણા આપી હતી. સાથે સાથે તેમણે ખાદીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, પૂ. મહાત્મા ગાંધીજીને અતિપ્રિય અને આઝાદી વખતે તેમજ આઝાદીની લડતનું એક અભિન્ન અંગે એવી ખાદી પ્રવૃત્તિ મહાત્માજીએ વિકસાવી હતી.

કોણે કોણે હાજરી આપી હતી

મંત્રી રૂપાલાએ તમામને ગાંધી જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા, કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, ડો.ભરતભાઈ કાનાબાર, જલ્પેશભાઇ મોવલીયા, રાજેશભાઇ કાબરીયા, ભાવનાબેન ગોંડલીયા, મયુરભાઇ માંજરીયા, દિનેશભાઇ પોપટ, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, અમરેલી શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપ મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ સહિતનાઓ જાડાયા હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.