સાગર ખેડૂ તથા જમીન ખેડૂને કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું વળતર આપો: અંબરીશ ડેર

કમોસમી વરસાદને પગલે ધારાસભ્ય અંબરીશ ડેરે જાફરાબાદ બંદરની મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી કમોસમી વરસાદથી સાગર ખેડૂ તથા જમીન ખેડૂને થયેલ નુકસાનીનો  સર્વે કરી યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી.
ધારાસભ્ય ડેરે જણાવ્યું હતું કે, સાગર ખેડૂ અને જમીન ખેડૂને વારંવાર મુસીબતોનો સામનો કરવો પડે છે. વારંવાર સૂકી મચ્છી જેવી કે મોમ્બે ડક તેમજ અન્ય મચ્છી વરસાદના કારણે ખરાબ થઇ જાય છે. જેનું તેમને કોઇપણ વળતર આપવામાં આવતું નથી. સરકારને વળતર અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં સહાય ચૂકવવામાં આવતી નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.