જાફરાબાદમાં અરેરાટી મચાવે તેવી ઘટના બની છે. જાફરાબાદના પુલ નજીક કોઈ અજાણી વ્યક્તિ બે નવજાત બાળકને ફેંકી ગયું હતું. શ્વાને આ બંને નવજાત શિશુને ફાડી ખાતા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા. લોકોએ પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યા છે. આ બનાવથી પોલીસ તંત્ર પણ ચોંકી ગયું છે.
નવજાત બાળકોને ફેંકી જનાર પર ફિટકાર
લોકોએ અહીં બંને બાળકોને ફેંકી જનાર અને જન્મ આપનાર માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. શ્વાને બંને બાળકોને ફાડી ખાતા અમુક અંગો પણ હાથ લાગ્યા નથી. આથી અરેરાટી મચી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે બાળકો ફેંકી જનાર અને જન્મ આપનાર માતાની શોધખોળ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી)
Source link: Divya Bhaskar