યુપી-એમપી સ્ટાઈલથી ગુજરાતમાં પણ બુલડોઝરની એન્ટ્રી, ખંભાતના રમખાણગ્રસ્ત ક્ષેત્રમાં જબરૂ ડીમોલીશન

ગુજરાતમાં રામનવમીના દિવસે હિમ્મતનગરમાં થયેલા વિવાદને ગુજરાત સરકારે ગંભીરતાથી લીધી છે અને આ રમખાણ પૂર્વયોજીત હોવાના સંકેત મળતા જ 100 લોકોના ટોળા જેમાં 61 લોકો ઉપર નામજોગ ફરિયાદ કરવામાં આવી છે તો હવે ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ હવે તોફાની માફીયાઓ સામે બુલડોઝર ચાલે તેવા સંકેત મળેલા છે.

સરકારી જમીન હટાવવા ચલાવીય બુલડોઝર

રામનવમી દિવસે આણંદમાં જે તોફાનો થયા હતા. તે આજે સવારે સ્થાનિક તંત્રના બુલડોઝર પહોંચી ગયા હતા અને ‘સરકારી જમીન ઉપરના દબાણ હટાવવા’ અને અનેક કાચા બાંધકામો, કેબીનો તથા અન્ય નાના બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા હતા.

આ મુદ્દે અધિકારીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી સરકારી જમીન પર જે દબાણો થયા હતા તે હટાવીને સરકારી જમીન ખાલી કરાવવી જરૂરી હતી. બીજી તરફ આ ક્ષેત્રમાં તોફાનો સમયે ખંભાત શહેરના ચાર્જમાં રહેલા પીઆઈ એમ.જે.ચૌધરીની તાત્કાલીક બદલી કરવામાં આવી છે અને ખંભાત ગ્રામ્યમાં ફરજ બજાવતા આર.એન.ખાંટને શહેરના ચાર્જ સોપાયો છે. પીઆઈએ આ પ્રકરણની તપાસમાં કેટલીક ક્ષતિઓ રાખી દીધાનો આરોપ છે અને અહી અનેક સ્થળો પર દરોડા ચાલુ જ છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.