કોવિશીલ્ડ વેક્સિન લગાવતાં જ પથારીવશ રહેલ વ્યક્તિ સાજો થઈને ચાલવા લાગ્યો

જે બિમારી માટે લાખો રૂપિયાની દવા જે કામ ન કરી શકી એ કામ ફ્રી માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિને કરી દીધું. આવો દાવો ઝારખંડના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. ઝારખંડના બોકારો શહેરમાં રહેતા દુલાર ચંદ મુંડા દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે. બોકારો શહેરના ટકાહા ગામના રહેવાસી દુલાર ચંદ મુંડા (55 વર્ષીય) છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીને લીઘે પથારીવશ  હતા તેઓ હલનચલન પણ કરી શકતા નહોતા.

આવી પરિસ્થિતીમાં તેમને 6 જાન્યુઆરીના દિવસે કોવિડ વેક્સિનેશનની મેડિકલ ટીમ દ્વારા તેમને કોવિશીલ્ડની વેક્સિન લગાવવામાં આવી હતી ત્યાર બાદ 9 જાન્યુઆરીના રોજ તેઓ પથારીમાંથી ઊભા થઈ અને તેમના પગ પર ચાલવા લાગ્યા હતા.

રાજ્યના વેક્સિનેશન અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગ આ બાબતની તપાસ કરી રહી છે. RIMSના અધિકારીઓની ટીમ આ ઘટનાની તપાસ કરશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે જ્યાં સુધી આ અંગે તપાસ કરવામાં નહીં આવે કે દુલાર ચંદને કેવા પ્રકારની બીમારી હતી, કેવા પ્રકારનું રિએક્શન આવ્યું છે?, તેમની કેવા પ્રકારની સારવાર ચાલી રહી હતી? ત્યાં સુધી આ બાબતે કંઈપણ કહેવું યોગ્ય નથી.

બીજી તરફ દુલાર ચંદ મુંડાનું કહેવું છે કે તેઓ 4 વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.આ અકસમતના ત્રણ વર્ષ બાદ તેમના શરીરની નસોમાં તકલીફ ઉત્પન થવા લાગી તેને લીધે છેલ્લા એક વર્ષથી તેઓ પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. પરિવારજનોનું કહેવું છે કે તેઓ બોકારો, ધનબાદ અને રાંચીના RIMS સુધી સારવાર કરાવી તેમની સારવાર પાછળ આશરે 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આ માટે તેમણે પોતાની જમીન પણ વેચવી પડી પણ બીમારીમાં કોઈ જ રાહત મળી નહીં.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.